Wednesday, 17 April 2013

વિચાર

વિચાર ભાગ્યનું બીજું નામ છે.
વિચારનો ચિરાગ બુઝાઈ જવાથી આચાર અંધ થઇ જાય છે.
જેની સાથે સુંદર વિચાર હોય છે, તે કદી પણ એકાંતમાં હોતો નથી.
સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
વિચારશૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે.
માનવ-ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે.
માનવી પોતાના મનમાં પોતાના વિષે જેવું વિચારે છે, એવો જ બની જાય છે.
જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે.
કોઈ ચીજ સારી અથવા ખરાબ નથી. વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.
સદવિચારોથી કોમળ કોઈ પણ ઓશીંકુ નથી.
એક સારો વિચાર અનેક ખોટા વિચારને દૂર કરી શકે છે .

શિક્ષણ્


અંતર્મુખતા જ સાચા શિક્ષણની શરૂઆત છે.
શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.
સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.
સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
મૃત્યુ એટલે ચેતનાનો અંત; શિક્ષણ એટલે માનવીના ચૈતન્યનો આવિષ્કાર.
કેળવણી એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ.
વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.
કેળવણી પ્રાપ્ત કરવાના ત્રણ આધારસ્તંભો છે: વધારે નિરીક્ષણ કરવું, વધારે અનુભવ કરવો અને વધારે અભ્યાસ કરવો.
જીવનસંગ્રામમાં આવતી મુસીબતો સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.
આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.
સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે. 
-શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે.

સજજન



સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી.
સૂર્ય જેમ ઘરઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ સજ્જન પુરુષ વિના કહ્યે બીજાઓની આશા પૂર્ણ કરી આપે છે.
વ્યવહારોની શુધ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્યના બે મુખ્ય લક્ષણો છે.
માણસ જેમ જેમ સજ્જનની નિંદા કરે છે, તેમ તેમ તે પોતાને જ દુષિત કરે છે.
સંસારરૂપી કટુ વૃક્ષના અમૃત સમાન બે ફળ છે: એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.
સજ્જનતા એ ઉત્કૃષ્ટ માનવતા માટેનો બીજો શબ્દ છે.
સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.
ચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતલ હોય છે.
સજ્જનોનો સ્વભાવ સૂપડા જેવો હોય છે તેથી તેઓ દોષ રૂપી કચરાને દુર કરી ગુણ રૂપી વસ્તુને ગ્રહણ કરે છે.
સજ્જનો બીજાઓ પ્રાપ્ત થતા દુ:ખો ભોગવીને રાજી થાય છે.

લોભ

લોભ એ પાપનું મૂળ છે એટલું જ નહિ પણ તે જાતે જ પાપરૂપ છે.
રાગદ્વેષથી લોભ જન્મે છે.
પાપ, અધર્મ અને કપટનું મૂળ લોભ જ છે.
મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.
ગરીબાઈ થોડીક વસ્તુઓ માંગે છે, વિલાસવૈભવ ઘણી વસ્તુઓ માંગે છે, પરંતુ લોભ તો બધું જ માંગે છે.
લોભીને કોઈ ગુરુ કે મિત્ર હોતા નથી.
સંસારમાં સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી.
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે,માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.
લાલચ એ એવી આગ છે, જે કદી શાંત થતી નથી. જેમ જેમ તેને સેવતા જઈએ, તેમ તેમ તે વધુ પ્રજ્વલિત થતી જાય છે.
ગુલામને તો એક જ માલિક હોય છે, પણ લાલ્ચુને તો પોતાને મદદરૂપ નીવડે એવા બધાની જ ગુલામી ઉઠાવવી પડે છે.
ઉદાર માનવી છેવટ સુધી આનંદપૂર્વક જિંદગી ગુજારે છે, જયારે કંજૂસ છેવટ સુધી દુ:ખમાં રહે છે.   

પુસ્તક


સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી.
જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે 
તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.
પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે.
પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.
જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ.
વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે.
સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.
પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન પ્રાપ્ત કરી શકાય છે.
તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે

માં


બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે.
પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
એટલે તેણે 'માં' નું સર્જન કર્યું.
માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.
માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.
માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
માતા પૃથ્વી પણ મહાન છે.
પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.
માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.
માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે.   

હૃદય


હૃદયની કોઈ ભાષા નથી હોતી, હૃદય હૃદયથી વાતચીત કરે છે.
હૃદય તલવારથી પણ વધારે શક્તિશાળી હોય છે.
જ્ઞાની પુરુષોનું હૃદય અરીસા જેવું હોય છે, જે કોઈ વસ્તુને દુષિત કાર્ય વગર
એ જ સ્વરૂપે રજુ કરી દે છે.
જીવનની મહત્વની ચીજો એકત્ર કરવાનું શ્રષ્ઠ સ્થાન માનવ હૃદય છે.
તેજસ્વી ભાવના હૃદયને પવિત્ર, ઉન્નત અને દૈવી બનાવવાનો એક ઉપાય માત્ર છે.
હૈયું બાળવું એ કરતા હાથ બાળવા સારા.
મનુષ્યના હૃદયમાં દેવત્વ તો ક્યારેક જ જાગે છે, જયારે પશુત્વ કાયમ જાગેલું જ હોય છે.
માનવીના હૃદય કરતા મોટું કોઈ નથી.માનવીનું હૃદય જ બધા તીર્થોનું સ્થાન છે.
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટી સુંદરતાથી છવાઈ જાય છે.
કોમળતા હૃદયનો ધર્મ છે અને દુર્બળતા દેહનો ધર્મ છે.
કાયાને વજ્રથી પણ વધુ મજબુત બનાવો.અને હૃદયને પુષ્પથી પણ કોમળ બનાવો.
બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય,
પરંતુ જેને પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.




No comments:

Post a Comment